Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વાયા નાશિક લઈ જવાની ફડણવીશની અપીલને કેન્દ્ર સરકારે ફગાવી !!

રેલવે રાજ્યકક્ષાના પ્રધાને પત્ર લખીને માંગનો અસ્વીકાર કર્યાનું કહ્યું

મુંબઈ :વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનો મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પથી મહારાષ્ટ્રને યોગ્ય ફાયદો મળે એ માટે બુલેટ ટ્રેનના માર્ગને નાશિકથી લઈ જવાની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરેલી માગણી કેન્દ્ર સરકારે ફગાવી દીધી હોવાનું જણાઈ આવ્યું હતું,

  બુલેટ ટ્રેન પ્રકલ્પનો મહારાષ્ટ્રને પણ ફાયદો થવો જોઈએ એ માટે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના માર્ગને નાશિક વાળવાની વિનંતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભૂતપૂર્વ રેલવે પ્રધાન સુરેશ પ્રભુ અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને કરી હતી. આના પર કેન્દ્રએ કોઈ વિચાર કર્યો નથી. દરમિયાન રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન મનોજ સિન્હાએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને આ માગણી ફગાવી દેવામાં આવી હોવાનું જણાઈ આવ્યું છે.

(12:08 pm IST)