Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

સત્યની માટે લડનારાઓને ડરાવી શકાતા નથીઃ રાહુલ ગાંધી

સચ્ચાઈ માટે લડે છે તેમની કોઈ કિંમત હોતી નથી : મિસ્ટર મોદીને એમ લાગે છે કે આખી દુનિયા તેમના જેવું જ વિચારે : રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર ટ્વિટ કર્યું

નવીદિલ્હી, તા. ૮ : આ તપાસ અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું હતું કે, મિસ્ટર મોદીને એમ લાગે છે કે આખી દુનિયા તેમના જેવું જ વિચારે. એ એવું માને છે કે દરેક માણસની એક કિંમત હોય છે અનેતેને કોઈપણ કિંમતે ડરાવી શકાય છે. એ ક્યારેય એવું નહીં વિચારે કે જે લોકો સચ્ચાઈ માટે લડે છે તેમની કોઈ કિંમત હોતી નથી અને તેમને ડરાવી શકાતા નથી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી છેલ્લા કેટલાકસમયથી મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને કોરોના, લોકડાઉન, ચીન અને આર્થિક નીતિઓ વિશે તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યાછે.

(7:36 pm IST)