Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૭૪૨૪૧૭ થઈ

કોરોનાનું તાંડવ યથાવતઃ ૨૪ કલાકમાં ૨૨૭૫૨ નવા કેસઃ ૪૮૨ના મોતઃ કુલ મૃત્યુઆંક ૨૦૬૪૨

નવી દિલ્હી, તા. ૮ :. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૭૫૨ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૪૮૨ લોકોના મોત થયા છે.  સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સાથે જ ભારતમાં હવે કોરોના વાયરસના કુલ ૭૪૨૪૧૭ કેસ થઈ ગયા છે. આમાથી ૪૫૬૮૩૧ લોકો સાજા થયા છે અથવા તો હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે તો કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૨૦૬૪૨ લોકોના મોત થયા છે. કુલ કેસમાંથી ૨૬૪૯૪૪ સક્રિય કેસ છે.

(11:07 am IST)