Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

તોગડિયાની નવી પાર્ટીનું ૯ ફેબ્રુઆરીએ એલાન : લોકસભામાં ઝંપલાવશે

હિન્દુત્વ આધારિત નવા રાજકીય સંગઠનનું સૂત્ર ''કિશાનોને દામ, યુવાનોને કામ, અયોધ્યામાં રામ''

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણભાઇ તોગડિયા ૯ ફેબ્રુઆરીએ પોતાની નવી પાર્ટીનું દિલ્હીના તાલ કટોરા  સ્ટેડીયમમાં એલાન કરનાર છે. તેમની પાર્ટી હિન્દુત્વ આધારિત હશે અને લોકસભાની ચુંટણીમાં તમામ બેઠકોમાં ઝંપલાવવા માંગે છે.

ડો.તોગડિયા વિહિપથી અલગ પડયા પછી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરી છે હવે તેઓ રાજકીય પક્ષ સ્થાપવા માંગે છે. ૯ ફેબ્રુઆરીએ તાલ કટોરા સ્ટેડીયમમાં દેશભરમાંથી કાર્યકરોને બોલાવવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી રપ૦૦ થી ૩૦૦૦ કાર્યકરો જશે. આ પ્રસંગે ડો.તોગડિયા નવા રાજકીય પક્ષનું નામ અને નિતીરીતી જાહેર કરશે.

તેમની નવી પાર્ટી ખેડુતો, યુવાનો અને હિન્દુત્વ આધારીત કામ કરવા માંગે છે. કિસાનોને દામ, યુવાનોને કામ અને અયોધ્યામાં રામ તે તેમનું સુત્ર રહેશે.પાર્ટીની સ્થાપના પછી બે મહિનામાં આવી રહેલી લોકસભાની ચુંટણીમાં જોરશોરથી ઝંપલાવશે. (૪.૧૨)

(3:34 pm IST)