Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

નેપાળએ રૂ. ૧૦૦ થી મોટી ભારતીય નોટોને માન્યતા આપવા આરબીઆઇને અનુરોધ કર્યો

નેપાળી મીડીયાના જણાવ્યા પ્રમાણે  નેપાળએ  ભારતીય રીઝર્વ બેન્ક (આરબીઆઇ)ને  રૂા. ૧૦૦ થી વધારે મૂલ્યવાળી નવી ભારતીયી નોટોને નેપાળમાં પણ લેણદેણ માટે માન્ય મુદ્રા બનાવવાનો અનુરોધ કર્યો છે. નેપાળમાં ૧૦૦ અને તેથી નાની નોટોનું જ ચલણ છે.  અન આરબીઆઇ ફકત આ નોટોને  નેપાળી રૂપિયામા બદલવાની સુવિધા આપે છે.

(12:00 am IST)