Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મુંબઈથી કોલકાત્તાની વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટને એર ટર્બુલેન્સ નડતા આઠ યાત્રી ઘાયલ :ત્રણને ગંભીર ઈજા

લેન્ડિંગની ગણતરીની મિનિટ બાકી હતી ત્યારે આ ઘટના બની : પાયલટની સાવધાની અને સૂઝબૂઝના કારણે વિમાન ગંભીર અકસ્માતમાંથી બચી ગયું

મુંબઈથી કોલકાત્તાની વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટને એર ટર્બુલેન્સનો સામનો કરવો પડયો હતો. એમાં આઠ મુસાફરોને ઈજા થઈ હતી. હવાના દબાણના કારણે ક્યારેક અમુક વિસ્તારમાં વિમાનને વમળ જેવી વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડે છે.

આવી સ્થિતિ વખતે વિમાનમાં સવાર મુસાફરોને વિષમ સ્થિતિનો સામનો કરવાનો આવે છે. વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટને નડેલા એર ટર્બુલેન્સમાં આઠ મુસાફરોને ઈજા થઈ હતી. એમાં ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી. એરલાઈન્સના કહેવા પ્રમાણે લેન્ડિંગની ગણતરીની મિનિટ બાકી હતી ત્યારે આ ઘટના બની હતી.

લેન્ડિંગ પછી તુરંત ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. પાયલટની સાવધાની અને સૂઝબૂઝના કારણે વિમાન ગંભીર અકસ્માતમાંથી બચી ગયું હતું એવું પણ નિવેદનમાં કહેવાયું હતું.

(12:45 am IST)