Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પરાજ્યથી બોધપાઠ લ્યો : ભાવિ પડકારો માટે તૈયાર રહો

પીએમ મોદીએ પક્ષના નેતાઓને આપી સલાહ

નવી દિલ્હી તા. ૭ : રવિવારે સાંજે બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા અને દરેક મહાસચિવોનીઙ્ગસાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએઙ્ગએક બેઠક યોજી. આ બેઠક સાંજે ૫ કલાક ચાલી. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પીએમ મોદીના પક્ષના ઉચ્ચ પદાધિકારીઓનીઙ્ગસાથે આ પ્રથમ બેઠક હતી. બેઠકમાં નરેન્દ્ર મોદીએઙ્ગકહ્યું કે પક્ષને હારથી પણ શીખ લેવાની જરૂરિયાત છે. નરેન્દ્ર મોદીએઙ્ગપક્ષ નેતાઓને કહ્યું કે જીત હોય કે હાર બીજેપી તેના દેખાવની વિગતવાર સમીક્ષા કરવી જોઈએ જેથી તે ભવિષ્યની ચૂંટણીઓની તૈયારી કરી શકે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પાર્ટીએ જોવું જોઈએ કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીએમસી કેવી રીતે પાછી ફરી. તેમણે પાર્ટી નેતાઓને સોશિયલ મીડિયાનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવાની સલાહ આપી અને પ્રાદેશિક ભાષાઓમાં તેના વિસ્તરણ વિશે વાત કરી.

દરેક રાષ્ટ્રીય મહાસચીવોની સાથે યોજાયેલી બેઠકમાં જણાવવામાંઙ્ગઆવી રહ્યું છે કે આ બેઠક બે કારણોના લીધે યોજાય છે. પહેલું એ કે બીજેપીએ કોરોના કાળ દરમિયાનઙ્ગસેવા જ સંગઠન કાર્યક્રમ ચલાવ્યો છે. જેનીઙ્ગસમીક્ષા પાક તરફથી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આવતા વર્ષે ૬ રાજયોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ રાજયોમાંથી એક ઉત્તરપ્રદેશઙ્ગપણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશઙ્ગઉપરાંત ગુજરાત, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, અને ગોવામાં ચૂંટણી યોજાવાની છે.

કેરળના મુદ્દા પર બોલીને મોદીએઙ્ગપક્ષ નેતાઓને ગઠબંધન બનાવ અને ગેર-હિન્દૂઙ્ગસમુદાયોને બીજેપીના સમર્થન આધાર પર લાવવામાં અક્કડતા છોડવાની સલાહ આપી તેઓએઙ્ગકહ્યું કે બીજેપીને રાજયમાં ખ્રિસ્તી સમુદાયનાઙ્ગવિશ્વાસને જીતવાના પ્રયત્નો કરવા જોઈએ.

(4:44 pm IST)