Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

બિકાનેરની રાણી સાથે મોગલ સમ્રાટ અકબરે દુષ્કર્મ કર્યુ હતું : મદનલાલ સૈની

જયપુર,તા.૭: રાજસ્થાન ભાજપના અધ્યક્ષ મદનલાલ સૈનીએ દાવો કરતા જણાવ્યુ હતુ કે મોગલ સમ્રાટ અકબરે બીકાનેરની રાણી કિરણ દેવી સાથે દુષ્કર્મ કર્યુ હતુ.તેમણે વધુમા જણાવ્યુ છે કે અકબરે રાણી સાથે દુષ્કર્મ કરતા રાણી કિરણ દેવીએ અકબરના ગળા પર તલવાર રાખી દીધી હતી અને તે વખતે અકબરે રાણી પાસે તેના જીવનની ભીખ માગવી હતી. સૈનીના આવા નિવેદનથી હાલ રાજકીય વિવાદ ઉભો થયો છે અને ગરમાવો વ્યાપી ગયો છેેે.

રાજસ્થાન ભાજપના અધ્યક્ષ મદનલાલ સૈનીએ મહારાણા પ્રતાપની જંયતી નિમીતે યોજાયેલા એક કાર્યકમમા આવુ નિવેદન આપ્યુ હતુ. જોકે તેમના આ નિવેદન અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે સૈનીના આવા નિવેદનથી સમાજમા તણાવ ઉભો થાય તેવી શકયતા છે, અને તેમનુ આ નિવેદન ઈતિહાસને વિકૃત કરે તેવુ છે તેમ જણાવ્યુ હતુ.અકબર મહાન કે મહારાણા પ્રતાપ મહાન તેવા સવાલના જવાબમા  સૈનીએ જણાવ્યુ હતુ કે કોઈપણ વ્યકિતની મહાનતાને તેના ચારિત્ર્ય પરથી આંકવી જોઈએ.  સૈનીએ વધુમા જણાવ્યુ હતુ કે અકબરે મીના બજાર બનાવ્યુ હતુ. આ મીના બજારમા મહિલાઓ કામ કરતી હતી. અને તે સમયે અકબર મહિલાઓના વેશમા આ  બજારમા જતો હતો અને ત્યાં કામ કરતી મહિલાઓ સાથે દુષ્કર્મ  કરતો હતો. અને આવુ દુષ્કર્મ કર્યા બાદ અકબર દુષ્કર્મને છેડતી ગણાવતો હતો. ત્યારે આ દરમિયાન  અકબરે બીકાનેરની રાઈ કિરણ દેવી સાથે પણ દુષ્કર્મ આચર્યુ હતુ.  તેવો આક્ષેપ કરતા હાલ આ મામલે રાજસ્થાન સહિત દેશના અન્ય રાજયમા રાજકીય ગરમાવો આવી ગયો છે આ મામલે કોૅગ્રેસે ભાજપના આ નેતા સામે પગલા લેવા માગણી કરી છે.

(3:35 pm IST)