Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ભોપાલનાં સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત લથડતા હૉસ્પિટલમાં દાખલ

કમરના ભારે દુખાવા, હાઇ બ્લડપ્રેશરની ફરિયાદ બાદ હૉસ્પિટલાઇઝ્ડ કરાયા

ભોપાલ લોકસભા બેઠક પર દિગ્વિજયસિંહને હરાવી સંસદસભ્ય બનનાર ભાજપનાં નેતા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને નાદુરસ્ત તબિયતને લીધે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

  આ અંગે ધ હિન્દુનો અહેવાલ જણાવે છે કે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને  કમરના ભારે દુખાવા, હાઇ બ્લડપ્રેશરની ફરિયાદને લીધે બુધવારે રાત્રે હૉસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતાં અને ગુરુવારે તેમને રજા આપી દેવામાં આવી હતી.

 જૂનના રોજ મુંબઈની એનઆઈએની ખાસ કોર્ટે માલેગાંવ બૉમ્બબ્લાસ્ટ કેસમાં આરોપી એવા પ્રજ્ઞાસિંહ ઠાકુરને દર અઠવાડિયે અદાલતમાં હાજરી આપવા માટેનો આદેશ આપ્યો હતો. આ આદેશ મુજબ એમણે 7 જૂન યાને કે આવતી કાલે અદાલત સમક્ષ હાજ થવાનું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે 2008માં થયેલા માલેગાંવ બૉમ્બબ્લાસ્ટમાં 100 લોકો ઘાયલ થયા હતાં અને 7 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

(12:00 am IST)