Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સારવાર બાદ અમેરિકાથી પરત ફર્યા મનોહર પર્રિકર

 

નવી દિલ્હી : અગ્નાશય સંબંધિત બીમારીની સારવાર માટે અમેરિકા ગયેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ગુરુવારે પણજી પરત ફર્યા હતા. પર્રિકરની ગેરહાજરીમાં વિપક્ષી કોંગ્રેસે રાજ્યપાલથી ગોવામાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટેની માંગ કરી હતી

મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, પર્રિકર આશરે સાડા પાંચ વાગ્યે મુંબઇથી ગોવા પહોંચ્યા. પર્રિકર બપોરે અમેરિકાથી મુંબઇ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ પર્રિકરને પરત ફરવા અંગે ગોવા કોંગ્રેસના અધ્યક્ષ ગિરીશ ચોંડાકરે આરોપ લગાવ્યો કે હાલનાં સમયમાં રાજ્ય કોઇ સરકાર જેવી કોઇ વસ્તું નથી અને તે આશા કરે છે કે રાજ્યપાલ મુદ્દે હસ્તક્ષેપ કરે. તેમણે કહ્યું કે બે મહત્વના મંત્રાલયના મંત્રીઓ પણ ગેરહાજર છે તો બીજી તરફ મુખ્યમંત્રીની ગેરહાજરી સતત જળવાઇ રહી છે

ચોંડાકરે કહ્યું કે, તેઓ મુખ્યમંત્રીના સારા સ્વાસ્થયની કામના કરે છે. જો કે તેઓ રાજ્યપાલ પાસે ભાજપ નીત સરકારના મુખ્યમંત્રીના સ્વાસ્થય અંગે નિવેદન ઇશ્યું કરવા માટેની અપીલ કરશે, જેથી તેમનાં સ્વાસ્થય મુદ્દે સ્થિતી સ્પષ્ટ થાય.

(12:39 am IST)