Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

10મીએ ભારત બંધનું કોંગ્રેસનું એલાન:ઇંધણના ભાવ વધારાના વિરોધમાં સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી બંધ પાળવા અપીલ

અન્ય વિપક્ષી પાર્ટીઓ, સામાજિક સંગઠનો અને સામાજિક કાર્યકરોને બંધમાં જોડાવવા આહ્વાન

 

નવી દિલ્હી :પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવમાંથી દેશવાસીઓને કોઇ રાહત મળતા કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારને ઘેરવા ભારત બંધનું આહ્વાન કર્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અંગે જાણકારી આપતા કહ્યું કે 10 સપ્ટેમ્બરે પાર્ટીએ ભારત બંધનો કોલ આપ્યો છે.અને ભારત બંધને સમર્થન આપવા અપીલ કરી છે 

 પાર્ટીએ અન્ય વિપક્ષી પાર્ટીઓ, સામાજિક સંગઠનો અને સામાજિક કાર્યકરોને આહ્વાન કર્યુ છે કે તેઓ ભારત બંધનું સમર્થન કરે. કોંગ્રેસે જણાવ્યું કે ભારત બંધ સવારે 9 વાગ્યા બપોરના ત્રણ વાગ્યા સુધી હશે. જેથી સામાન્ય જનતાને કોઇ તકલીફ પડે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મોદી સરાકરે 11 લાખ કરોડ રૂપિયાની ફ્યૂલ લૂંટ ચલાવી છે. ભારત બંધમાં સમર્થન માટે કોંગ્રેસે અન્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે પણ વાત કરી છે.

(10:17 pm IST)