Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સત્તામાં આવ્યા તો બ્રાહ્મણોને આપશે 10 ટકા અનામત : કોંગ્રેસ

નવી દિલ્હી :એસસી-એસટી એક્ટના વિરોધમાં સવર્ણ સમાજે 6 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કરીને મોદી સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. કોંગ્રેસે એક મોટો દાવ ખેલ્યો છે.

 કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સૂરજેવાલાએ એલાન કર્યુ છે કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો દેશની અંદર એક 'બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ' ની રચના કરવામાં આવશે. સૂરજેવાલાના આ નિવેદનને રાજકીય પેંતરો માનવામાં આવી રહ્યો છે.

(8:44 pm IST)