Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

દેવામાં ડૂબેલાં પાકિસ્તાનને ઉગારવા વિદેશી અર્થશાસ્ત્રીઓની મદદ લેશે ઈમરાન ખાન

કરાચી :દેવામાં ડૂબેલાં પાકિસ્તાનને ઉગારવા માટે વડાપ્રધાન ઈમરાન ખાન વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓની મદદ લેશે. દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સરકારે એક આર્થિક સલાહકાર સમિતિ બનાવી છે જે સરકારને આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં સલાહ આપશે.

 ઈમરાનની સામે સૌથી મોટો પડકાર અર્થવ્યવસ્થામાં 70,000 કરોડ રૂપિયાની ઉણપને દૂર કરવાનો છે.

(8:55 am IST)