Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

દિલીપ કુમારની તબિયત બગડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં થયા દાખલ

લીલાવતી હોસ્પિટલના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ અજય પાંડે અનુસાર, દિલીપ કુમાર અહી રૂટીન ચેકઅપ માટે આવ્યા છે

મુંબઇ : બોલીવૂડના એક સમયના સ્ટાર એક્ટર દિલીપ કુમારની તબિયત અચાનક બગડી જવાથી તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ડોક્ટરોએ જણાવ્યું છે કે, તેમને સાંસ લેવામાં તકલીફ થઈ રહી છે.

જોકે, લીલાવતી હોસ્પિટલના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ અજય પાંડે અનુસાર, દિલીપ કુમાર અહી રૂટીન ચેકઅપ માટે આવ્યા છે.

94
વર્ષના દિલીપ કુમાર લંબા સમયથી બિમાર ચાલી રહ્યાં છે. આનાથી પહેલા પણ તેમને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલા તેમની ડિહાઈડ્રેશનના કારણે તબિયત બગડી ગઈ હતી.

બોલીવૂડમાં ટ્રેજડી કિંગના નામથી ફેમસ દિલીપ કુમાને મધુમતી, દેવદાસ, મુગલ--આઝમ જેવી હિટ ફિલ્મો તેમને આપી છે. અંતિમ વખતે તેઓ 1998માં આવેલ ફિલ્મ કિલામાં નજરે આવ્યા હતા. દિલીપ કુમારને 2015માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)