Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ભારતીય માતાને ૨૨ વર્ષની જેલ સજા ફટકારી

સાવકી પુત્રીનું ગળુ દાબી મારી નાખી

ન્યુયોર્ક, તા. ૫: માત્ર નવ વર્ષની સાવકી પુત્રીને બાથટબમાં ફેંકી ગળે ટુંપો દઇ તેની હત્યા કરનાર ભારતીય માતાને ૨૨ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે આ અપરાધને અવિચારી ગણાવ્યો હતો.

ન્યુયોર્કના કિવન્સની ૫૫ વર્ષની શમદાઇ અર્જુનને જયુરીએ માત્ર એક જ કલાકની સુનાવણીના અંતે સેકંડ ડીગ્રી મર્ડર માટે દોષિત જાહેર કરી હતી.સોમવારે તેને ૨૨ વર્ષ સુધી જેલમાં રાખવા ઓર્ડર કરવામાં આવ્યો હતો.

પોતાની સંભાળમાં રહેતી નવ વર્ષની આશદીપ કૌરને ઓગસ્ટ ૨૦૧૬માં અર્જુને ગળે ટુંપો દઇ મારી નાંખી હતી.  આ કેસના બચાવ પક્ષે સાવકી માતાની શૈતાની વાર્તાઓને પણ શરમાવે તેવી હરકત કરી હતી.અર્જુને અવિચારી ગુનો કર્યો હતો. તેણે ગળે ફરતે પુત્રીના હાથ બાંધી દીધા હતા અને આમ તેને ગુંગળાવીને મારી નાંખી હતી'એમ ચૂકાદા પછી અત્યંત સખ્ત શબ્દોમાં કાર્યકારી કિવન્સ જિલ્લા એટર્ની જોન રેયાને એક નિવેદનમમાં કહ્યું હતું.

ટ્રાયલના દસ્તાવેજો અનુસાર, ૧૯મી ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ અર્જુનને તેના ઘરમાંથી બહાર પોતાના પૂર્વ પતિ રેમોન્ડ નારાયણ સાથે જતાં પાડોશીએ જોઇ હતી. જયારે નારાયણે સાવકી પુત્રી વિષે પૂછ્યું તો કહ્યુ કે તે ઘરમાં જ છે અને તેના પિતા લઇ જાય તેની રાહ જુએ છે.

(3:37 pm IST)