Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વરિષ્ઠ કલાકાર પદ્મશ્રી દિનયાર કોન્ટ્રાક્ટરનું અવસાન : પીએમ મોદીએ શોક વ્યકત કર્યો

બહુમુખી અભિનય પ્રતિભાએ અનેક લોકોના ચહેરાં પર સ્મિત આણ્યું. નાટક, ટીવી કે ફિલ્મ દરેક માધ્યમમાં શ્રેષ્ઠ હતા

મુંબઈ :વરિષ્ઠ કલાકાર દિનયાર કોન્ટ્રાક્ટરનું 79 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ નાટકથી અભિનયની શરૂઆત કરી હતી અને અનેક હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મો, ટીવી શોમાં કામ કર્યું.

આજે વહેલી સવારે એમનું અવસાન થયું છે. એમની અંતિમ પ્રાર્થનાસભા વરલી પ્રાર્થનાગૃહ મુંબઈમાં સાંજે 3.30 વાગે યોજાશે.

દિનયાર કોન્ટ્રાક્ટરના અવસાન પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ એમની સાથેની તસવીર ટ્ટીટ કરી શોક વ્યકત કર્યો છે.

વડા પ્રધાને ટ્ટીટ કરીને કહ્યું કે પદ્મશ્રી દિનયાર કોન્ટ્રાકટર ખાસ હતા કેમકે તેમણે અનેક ખુશીઓ ફેલાવી. એમની બહુમુખી અભિનય પ્રતિભાએ અનેક લોકોના ચહેરાં પર સ્મિત આણ્યું. નાટક, ટીવી કે ફિલ્મ દરેક માધ્યમમાં તેઓ શ્રેષ્ઠ હતા. એમના અવસાનથી શોકમગ્ન છું. મારી પ્રાર્થના એમનાં પરિવારો અને ચાહકો સાથે છે.

(12:47 pm IST)