Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

હરસિમરત કૌરને કોઈપણ મુદ્દે કંઈ પણ સમજ્યા વગર કંઈપણ કહી દેવાની આદત :અમરિન્દરસિંહ

પીએમને પત્ર લખીને નશાની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કર્યા બાદ કૌરે રાજ્યસરકારને નિષ્ફ્ળ ગણાવતા મુખ્યમંત્રીએ વળતો પ્રહાર કર્યો

ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, તેમની કોઇ પણ મુદ્દે કંઇ પણ સમજ્યા વગર કંઇ પણ કહી દેવાની આદત છે. આ અગાઉ અકાલી નેતાએ રાજ્યમાં નશીલા પદાર્થોની સમસ્યા પર લગામ કસવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો.

  હરસિમરતે સોમવારે સિંહ સરકાર પર બે વર્ષનાં શાસનકાળ દરમિયાન રાજ્યમાં નશીલા પદાર્થોની સમસ્યાના ઉન્મુલનમાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, પંજાબે નશીલા પદાર્થોના સેવનના કારણે સૌથી વધારે મોત થયા છે. તેમનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખીને નશાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક રાષ્ટ્રીય નીતિ બનાવવાની માંગી કરી. 

(12:00 am IST)