Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

માયાવતીએ બસપા ભાજપને વેંચી દીધો!

લખનૌ, તા., ૫: ઉતર પ્રદેશના પુર્વ મુખ્‍યમંત્રી માયાવતી ઉપર ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદે નિશાન તાકયું છે તેમણે કહયું કે માયાવતીએ દેશના બહુજન સમાજને ભારતીય જનતા પાર્ટીના હાથે વેચી દીધો છે. તેમણે પોતાના ભાઇ-ભત્રીજાઓની સંપતી બચાવવા માટે વડાપ્રધાન પાસે આત્‍મ સર્મપણ કરી દલીત સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. દિતીનગરમાં કહયું કે માયાવતીના કાર્યોથી બાબાસાહેબના આદર્શોને ઘણુ મોટુ નુકશાન થયું છે. માયાવતીએ ઘુંટણ ટેકવી દેતા આજ દેશનો દરેક નાગરીક બે લાખ રૂપીયાનો વિદેશી કરજદાર બની ગયો છે.

(4:09 pm IST)