Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સરકાર કાયદાનું પાલન ના કરે તો કોર્ટ આંખ મિચામણા નહીં કરેઃ સુપ્રિમ કોર્ટ

રાજીવ ગાંધી હત્‍યા કેસમાં સુપ્રીમનું કડક વલણ

નવી દિલ્‍હીઃ રાજીવ ગાંધી હત્‍યાકાંડના આરોપી પેરારીવિલનના કેસમાં સુપ્રિમ કોર્ટે ફરી એકવાર સખત ટીકા કરી છે. કોર્ટે કહ્‍ફું કે પેરારીવિલનના છૂટકારાના કેસમાં સરકાર અમારા આદેશોનું પાલન કરે નહીંતર કોર્ટ હુકમ જાહેર કરશે. સરકાર કાયદાનું પાલન ના કરે તો કોર્ટ આંખો મીચીને બેસી નહીં રહે.

તમિલનાડુ સરકારે પેરારીવિલનના છૂટકારા બાબતે જાન્‍યુઆરી ૨૦૨૧માં નિર્ણય કર્યો હતો. કોર્ટે કહ્યું રાજયપાલે કેબીનેટની ભલામણો માનવી જ પડે. રાજયપાલ કેબીનેટના નિર્ણય પર પ્રશ્‍નો કરીને તેને રાષ્‍ટ્રપતિને મોકલે તો કોર્ટ તેમાં દખલ કરી શકે છે.

(1:24 pm IST)