Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

સમગ્ર દેશમાં કોરોનાના 3374 કેસ :મૃત્યુઆંક 79 થયો : 275 જિલ્લા કોરોનાની ઝપટમાં

અત્યાર સુધીમાં કોરોનાના 267 દર્દીઓ સાજા થઈ ચુક્યા

નવી દિલ્હી : દેશભરમાં કોરોના વાયરસના કારણે સત્તાવાર રીતે મૃત્યુઆંક વધીને 79 થઇ ગયો છે. જ્યારે કે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3374 કેસ થયા છે. અત્યાર સુધીમાં દેશના 275 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં પોણા પાંચસો નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કોરોનાના 267 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે.

(6:40 pm IST)