Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

રાજ્યમાં પાંચ IAS અધિકારીઓને કોરોના વળગ્યો : IAS ઓફિસર્સ જે. પી. ગુપ્તા, હરિત શુક્લા, મનોજ અગ્રવાલ, ગુજરાતના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે અને IAS અધિકારી રાજકુમાર બેનીવાલ થયા કોરોના સંક્રમિત : IAS લોબીમાં ખડભળાટ

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબીનેટની બેઠક રદ : હજુ વધુ IAS ઓફિસર્સ ને કોરોના પોઝિટિવ આવે તેવી સંભાવના

ગાંધીનગર :  ગુજરાતમાં એક જ દિવસે  પાંચ IAS અધિકારી કોરોના સંક્રમિત થતાં વાઇબ્રન્ટ સમિટ માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે. તેના પગલે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબીનેટની બેઠક પણ રદ કરવામાં આવી છે અને IAS લોબીમાં ખડભળાટ મચી જવા પામ્યો છે.

રાજયમાં IAS ઓફિસર્સ જે. પી. ગુપ્તા, હરિત શુક્લા, મનોજ અગ્રવાલ, ગુજરાતના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે અને IAS અધિકારી રાજકુમાર બેનીવાલ કોરોના કોરોના સંક્રમિત થયા છે. હજુ વધુ IAS ઓફિસર્સ ને કોરોના પોઝિટિવ આવે તેવી સંભાવના સેવાય રહી છે.

(12:00 am IST)