Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગોરખા જન્મુક્તિ મોરચાએ ભાજપને કહ્યું અલવિદા : કહ્યું ,લોકસભા ચૂંટણીમાં ભાજપને ટેકો નહીં આપીએ

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ જીજેએમ પોતાની રણનીતિ સ્પ્ટ કરશે.

નવી દિલ્હી : આરએલએસપી બાદ હવે ગોરખા જનમુક્તિ મોરચાએ પણ ભાજપને અલવિદા કહ્યું છે ગોરખા જનમુક્તિ મોરચાના પ્રમુખ બિનય તમાંગે કહ્યું છે કે તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ટેકો નહીં આપે. લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ જીજેએમ પોતાની રણનીતિ સ્પ્ટ કરશે.

પશ્ચિમ બંગાળથી અલગ ગોરખાલેન્ડ રાજ્યની માગણીને લઈને જીજેએમ સતત માગણી ઉઠાવતુ રહે છે. નવેમ્બર-2017માં જીજેએમની જનરલ કમિટીએ બિમલ ગુરંગના સ્થાને બિનય તમાંગને પાર્ટીના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.

(1:27 pm IST)