Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

જમ્મુ કાશ્મીર મામલે કોઇપણ સાચો જવાબ આપતું નથી ;રાજ્યપાલને મળ્યા બાદ પણ ઓમર અબ્દુલ્લા નિરુત્તર

રાજ્યપાલને એક નિવેદન આપવાની વાત કરી હતી.

રાજ્યપાલ સત્યાપાલ મલિક સાથે મુલાકાત કર્યા બાદ રાજ્યનાં પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ શ્રીનગરમાં મીડિયા સાથે વાત કરતા જણાંવ્યું કે, જમ્મુ-કાશ્મીર મામલે તેને સાચો જવાબ મળ્યો નથી. તેમણે કહ્યું કે રાજ્યની સ્થિતિ વિશે કોઇ સાચી વાત કહેતું નથી.ઉમર અબ્દુલ્લા બોલ્યા કે અધિકારીઓ કહી રહ્યા છે કે કાંઇક થઇ રહ્યું છે, તેમજ જ્યારે તેનાં વિશે વધારે સવાલો કરીએ તો કોઇ જવાબ આપતું નથી. ઉમર અબ્દુલ્લા બોલ્યા કે અમે રાજ્યપાલ સાથે વાતકરી કે રાજ્યમાં થઇ શું રહ્યું છે. અબ્દુલ્લાનાં જણાંવ્યા પ્રમાણે તેમણે રાજ્યપાલને એક નિવેદન આપવાની વાત કરી હતી.

આ કારણોસર સુરક્ષા જવાનો કાશ્મીર મોકલાાયા કે શું?

(8:27 pm IST)