Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ચંદ્રની સપાટીને સ્પર્શતા પહેલા કઇ પ્રક્રિયા.......

સૌથી પહેલા વિક્રમ દ્વારા ચકાસણી

બેંગ્લોર, તા. ૨ : ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-૨થી અલગ થવાની સાથે જ આજે વિક્રમ લેન્ડર ચંદ્રથી મળવા માટે રવાના થતાં ઉત્સુકતા વધી ગઈ હતી. હજુ સુધી તમામ પ્રક્રિયા યોજનાપૂર્વક આગળ વધી રહી છે. સાતમી સપ્ટેમ્બરના દિવસે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર છે.

*   ધરતી અને ચંદ્રની વચ્ચે અંતર ૩ લાખ ૮૪ હજાર કિલોમીટરછે

*   ચંદ્રયાન-૨માં લેન્ડર-વિક્રમ અને રોવર-પ્રજ્ઞાન લોન્ચિંગ બાદ છેક ચંદ્ર સુધી જશે

*   ચંદ્રની સપાટી ઉપર ઉતારવાના ચાર દિવસ પહેલા વિક્રમ ઉતરવાવાળી જગ્યાની ચકાસણી કરીને ખાતરી કરશે અને લેન્ડર યાન ડીબુસ્ટ થશે

*   વિક્રમ સપાટીની નજીક પહોંચશે અને ઉતરવાવાળી જગ્યાને સ્કેન કરશે ત્યારબાદ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે

*   લેન્ડિંગ બાદ લેન્ડર વિક્રમનો દરવાજો ખુલી જશે અને રોવરને રિલીઝ કરશે

*   રોવરને બહાર નિકળવામાં આશરે ચાર કલાકનો સમય લાગશે ત્યારબાદ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ચંદ્રની સપાટી ઉપર નિકળી જશે અને ૧૫ મિનિટની અંદર જ ઇસરોને લેન્ડિંગના ફોટાઓ મોકલવાની શરૂઆત કરશે

(7:16 pm IST)