Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કેમ્બ્રિજ યુનિવર્સીટીના એક સંશોધનમાં થયો ખુલાસો:થોડા કલાકોમાં કામ કરવામાં છે વધુ સુખ

નવી દિલ્હી: રાતોરાત પૈસાદાર થવાની લાલચમાં માણસ દિવસ-રાત કામ કરતો હોય છે. ધનવાન થવા કામ કરવું એ કોઈ ખરાબ બાબત નથી પરંતુ તન-મનને આરામ આપ્યા વિના કામથી માણસ જિંદગીનો આનંદ નથી માણી શકતો અને છેવટે બિમારીમાં અંત આવે છે કે પાછલી જીંદગી બિમારીમાં પસાર થાય છે.કામના કલાકો ઓછા રહેવાથી ખુશ રહેવામાં મદદ મળે છે. આવો જ કંઈક ખુલાસો કેમ્બ્રિજ યુનિવર્સીટીનાં એક સંશોધનમાં થયો છે. લોકો કામમાં એટલા તો ડુબેલા રહે છે કે સમય કેમ પસાર થઈ જાય છે. તેની ખબર જ નથી પડતી.

             આખરે સવાલ પણ કેરીયરનો હોય છે. ઓછા કલાક કામ કરનારને કમજોર કે કામચોર માનવામાં આવે છે. પરંતુ કેમ્બ્રિઝ વિશ્વ વિદ્યાલયનાં તાજેતરનાં અધ્યયનનું માનીએ તો કામનાં કલાકોમાં કપાતથી ખુશીમાં વધારો થાય છે. આટલુ જ નહિં ઓછા કલાક કામ કરવામાં સંતોષનું રહસ્ય છુપાયેલુ છે. વિશેષજ્ઞોએ જાણ્યું કે, જે લોકોની નોકરી ચાલી ગઈ છે તેમનામાં માનસીક સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદો જોવા મળી હતી. પરંતુ 5000 લોકોમાં થયેલા સર્વેમાં પાર્ટ ટાઈમ નોકરી કરનાર કર્મચારી સૌથી વધુ ખુશ જોવા મળ્યા કે જેઓ સપ્તાહમાં એક કે બે દિવસ કામ કરતા હતા.

(5:38 pm IST)