Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

બાંગ્લાદેશમાં રોહિંગ્યાઓની છાવણીમાં લાગેલ ભીષણ આગમાં 15 શખ્સો બળીને ખાખ

નવી દિલ્હી: બાંગ્લાદેશના વાયવ્ય કોકસસ બઝાર જિલ્લામાં આવેલી રોહિંગ્યાઓની ચિક્કાર છાવણીમાં ગઈ મધરાતે લાગેલી આગમાં 15 જણા ભડથું થઈ ગયા હતા જ્યારે અન્ય 400 લોકો ગુમ થઈ ગયા હતા. 45,000 નિરાશ્રીતોને સમાવતા હજારો આશ્રયસ્થાનો નાશ પામ્યા છે.

મંગળવારે હાથ ધરાયેલી બચાવ અને રાહતની કામગીરી દરમિયાન 15 લાશો મળી આવી હતી. આગમાં ઘાયલ થયેલા સેંકડો લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરાયા છે, એમ યુએન રેફ્યુજી એજન્સી (યુએનએચસીઆર)ના પ્રવકતા જોહાન્નીસ વાન ડેર કલાઉવે જણાવ્યું. બાંગ્લાદેશના કોકસસ બાઝાર જિલ્લામાં મ્યાનમારમાં થયેલી લશ્કરી કાર્યવાહીથી બચીને આવેલા 11 લાખ રોહિંગ્યા શરણાર્થીઓએ આશ્રય લીધો છે.

(5:35 pm IST)