Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ચિલીમાં હિંસાના કારણે દસ લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: ચિલીમાં સબવે અને સાર્વજનિક યાતાયાત વધી જતા વિરોધમાં ચાલી રહેલ હિંસાના કારણે દસ લોકોના મૃત્યુ થતા અરેરાટી મચી જવા પામી છે.સ્થાનિક પ્રસાશને આપેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે રવિવારના રોજ ચિલીની રાજધાની  સેન્ટિયાગોમાં એક સુપરમાર્કેટમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

           દુર્ઘટનામાં પણ પાંચ લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પ્રદર્શનકારીઓને સુપરમાર્કેટમાં લૂંટફાટ કર્યા પછી  તેમાં આગ લગાવી દીધી હતી જેમાંથી પાંચ મૃતદેહ મળી આવ્યા હતા એમ કુલ દસ લોકોના મૃત્યુના સમાચાર આવતા અરેરાટી મચી જવા પામી છે

(6:01 pm IST)