Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

પીઓકેમાં બારુદી સુરંગ પાથરવા પાકિસ્તાનની શરૂઆત

નવી દિલ્હી: તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા તનાવના પગલે હાંફળા-ફાંફળા થયેલા પાકિસ્તાને પીઓકેમાં સૈન્યગતિવિધિ તેજ કરી દીધી છે અને નિયંત્રણ રેખા (એલઓસી) પર વ્યાપક પ્રમાણમાં બારૂદી સુરંગો બિછાવવાનું શરૂ કર્યુ છે.

                  વધુમાં જાણવા મળતી વિગત મુજબ એલઓસી પર યુઘ્ધના ધોરણે સુરંગ બિછાવવાનું કામ શરૂ કરી દીધુ છે. સાથે એન્ટી માઇનીંગ શૂની ખરીદી માટે આપાતકાલીન ટેન્ડર જાહેર કર્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના વિસ્તારોમાં વધારે બારૂદી સુરંગ પાથરવામાં આવી છે. જયાંથી ભારતની પહોંચ આસાન છે અને ભારતીય સીમાઓથી પીઓકેની દૂરી ઘણી ઓછી છે. એવા વિસ્તારો પણ ચિહિત કરવામાં આવ્યા છેજયાંથી વાહનોની આવન-જાવન સરળ છે.

(6:23 pm IST)