Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

એરપોર્ટના નવા કારોબારી મોડલોને શોધવાની જરૂર છે: એસીઆઈ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરિષદ એસીઆઈની મહાનિદેશક એંજેલા ગિટેન્સે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માત્ર અવરજવરથી એરપોર્ટને નફો નહીં થઇ શકે તેમજ પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે તેના નવા કારોબારી મોડલ અપનાવવાની જરૂર છે.

            મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગિટેન્સે ઇંચિયોન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા આયોજિત વિશ્વ વિમાનન સંમેલનમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અવરજવરથી પ્રાપ્ત રાજસ્વ મૂડી સંપૂર્ણ રીતે ભરપાઈ નહીં થઇ શકે. તેમના માટે કંઈક અલગ નવું કરવું પડશે.

(6:07 pm IST)