Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કેનેડામાં સિખ શ્રદ્ધાળુઓની બસને કરતાપુર લઇ જવામાં આવશે

નવી દિલ્હી: કેનેડાથી સિખ શ્રદ્ધાળુઓ હવે એક બસ લઈને સિખ પંથના પ્રથમ ગુરુ બાબા ગુરુનાનક દેવની 550મી જન્મજયંતિ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે પાકિસ્તાન જઈ રહ્યા છે. કેનેડામાં રહેનાર એક સિખ પરિવારે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પરિવારે એક વિષેસ બસનો પ્રબંધ કર્યો છે. જેનાથી સિખ શ્રદ્ધાળુઓ તેમના ધર્મ ગુરુ નાનક દેવના જન્મ સમારોહમાં ઉપશીત રહેવા માટે પહોંચી શકે.

                એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ એક વિડીયો વાયરલ થયો હતો જેના દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે સિખ શ્રદ્ધાળુઓની એક બસ પેરિસ પણ પહોંચી ગઈ છે વીડિયોમાં બસમાં રસોઈ,જમવાનું ટેબલ તેમજ વોશરૂમ અને બેડરૂમની પણ સુવિધાઓ આપવામાં આવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:46 pm IST)