Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સિખ શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર....... ઓન અરાઈવલ વિઝા તૈયાર કરશે પાકિસ્તાન

નવી દિલ્હી: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું કહેવું છે કે સિખ સમુદાય માટે કરતારપુર 'મદીના'અને નનકાના સાહિબ મક્કા છે તેમને આશ્વાશન આપ્યું છે કે તેમની સરકાર ભારત અને અન્ય દેશોથી આવનાર સિખ શ્રદ્ધાળુઓને બહુ-પ્રવેશ વિઝા અને ઓન અરાઈવલ વિઝા આપશે।

         એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સરકાર પાકિસ્તાનના ધાર્મિક સ્થળોની યાત્રા દરમ્યાન સિખ શ્રદ્ધાળુઓને વધારેમાં વધારે સેવાઓ આપશે તેમજ તેમને વિઝા પણ આપવામાં આવશે અને આ વાતની પાકિસ્તાનની સરકારે જવાબદારી લીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:55 pm IST)