Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

માલિની રાજધાની બમાકોમાં બિલ્ડીંગ ધરાશાયી થતા અફડાતફડી: ઓછામાં ઓછા 15 મોતને ભેટ્યા: 26નો આબાદ બચાવ

નવી દિલ્હી: માલિની રાજધાની બમાકોમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થતા અફડાતફડી મચી જવા પામી છે આ દુર્ઘટનામાં 15 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 26 લોકોને આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

        સરકાર અને સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સવારના સમયે રાજધાની બમાકોમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી જેમાં દટાઈ જવાના કારણે 15 લોકોના મોત નિપજ્યા છે. પરંતુ અન્ય 26 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

(7:34 pm IST)