Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ભરૂચના બોરભાઠા વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની લેવડ દેવડ બાબતે ધારીયાના ઘા ઝીકી હત્યા

સ્થાનિકો દ્વારા જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો

ભરૂચ જિલ્લાના મકતમપુર વિસ્તારમાં બોરભાઠા વિસ્તારમાં માત્ર 10 રૂપિયાના લેવડ દેવડ બાબતે એક વ્યક્તિની હત્યાના મામલે ચકચાર મચી જવા પામ્યો હતો. બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા સતપાલસિંહ રાઠોડ(ઉમર.45) જેઓ આજરોજ સવારના સમયે તેમના ઘર પાસે આવેલ ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન તેમની પાડોશમાં જ રહેતા હત્યારા દેવન વસાવાએ તેઓના માથાના ભાગે ધારિયા વડે માર મારી ઘા ઝીંકયા હતા. જેઓ ઘટના સ્થળ પર જ ઢળી પડ્યા હતા.

આ વાતની સ્થાનિક રહીશોને જાણ થતાં તેઓ સતપાલસિંહને ખાનગી વાહન મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નિપજયુ હતું અને આરોપીએ મૃતક પાસે માત્ર 10 રૂપિયા માંગ્યા હતા જે ન આપતા ધારિયા વડે માર માર્યો હોવાનું અનુમાન લાગવામાં આવ્યું હતું. જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશને સ્થાનિકો દ્વારા જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આરોપીને શોધવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

(4:18 pm IST)