Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વિરમગામ સાહિત્ય અમદાવાદ જીલ્લામાં જન્માષ્ટમી પર્વની શ્રદ્ધાભેર ઊજવણી : રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

જન્માષ્ટમીના પર્વ પર ભક્તોમાં અનેરો ઉત્સાહ : નાના-મોટા મંદિરોને શણગારવામાં આવ્યા : વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ શહેર સહિત જિલ્લાભરમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ભવ્ય  ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ ધર્મના વિવિધ તહેવારોમાં સૌથી વિશેષ મહત્ત્વ ધરાવતા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સોમવારે લોકો કૃષ્ણમય બની ગયા. વિરમગામ શહેરમાં ઐતિહાસિક  રામ મહેલ મંદિર, કૃષ્ણ મંદિર, સ્વામિનારાયણ મંદિર સહિતના વિવિધ મંદિરમાં હર્ષોલ્લાસ સાથે માખણચોરના જય જય કાર સાથે  કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય  ઉજવણી કરવામાં આવી રહી છે. રાત્રે બાર વાગ્યે બાલગોપાલના જન્મ નિમિત્તે નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયા લાલકી,  હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદથો ગુંજી ઉઠયુ હતું  ભક્તો બાલગોપાલને પારણે ઝુલાવશે

 .અત્રે ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીના પર્વ પર ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના-મોટા મંદિરોને શણગારવામાં આવ્યા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું .  વિરમગામના મિલ રોડ ઠાકોર સમાજ જય અંબે ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વ પર મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિરમગામના ભરવાડી દરવાજા પાસેના રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

(3:06 pm IST)