Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

રાજયની આઠ મહાનગરોમાં રાત્રીના 9થી સવારના પાંચ વાગ્યા સુધી કરફયુ કરવાની ગંભીર વિચારણા !!

અમદાવાદ : રાજય સરકાર આગામી 1લી જાન્યુઆરીથી રાજયની આઠ મહાપાલિકાઓમાં રાત્રિના 9થી સવારના પાંચ વાગ્યા સુધી કરફયુ કરવાની ગંભીર વિચારણા કરી રહી છે. આજે સાંજે મળનારી કેબિનેટની બેઠકમાં આ અંગે સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

રાજય સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગત 25મીથી રાજયની આઠ મહાપાલિકાઓમાં રાત્રી કરફયુના સમયમાં બે કાકનો વધારો કરવામાં આવ્યા બાદ હજી બે કલાકનો સમય વધારવાની તૈયારીઓ ચાલુ રહી છે. લોકડાઉન, મીની લોકડાઉન 31મીએ મુખ્યમંત્રી રાજકોટમાં રોડ શો કરવાના છે તે માટે અત્યારથી જંગી તૈયારીઓ ચાલીરહી છે.

(11:43 pm IST)