Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

કોરોનાએ ફૂફાડો માર્યો: નવા કેસમાં મોટો ઉછાળો : અમદાવાદમાં 278 કેસ સહીત રાજ્યમાં 548 પોઝીટીવ કેસ :વધુ 65 દર્દીઓ સાજા થયા :પોરબંદરમાં એક દર્દીનું મૃત્યુ :કુલ મૃત્યુઆંક 10.116 થયો :કુલ 8.18 .487 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.94.376 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 278 કેસ,સુરતમાં 80 કેસ, વડોદરામાં 39 કેસ,રાજકોટમાં 27 કેસ, આણંદમાં 23 કેસ,ખેડામાં 21 કેસ,કચ્છમાં 13 કેસ, વલસાડમાં 9 કેસ, ગાંધીનગરમાં 8 કેસ,મોરબી અને નવસારીમાં 7 કેસ,ભાવનગર અને ભરૂચમાં 6-6 કેસ, જામનગરમાં 5 કેસ,મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ, અરવલ્લી અને બનાસકાંઠામાં 2 કેસ, અમરેલી, નર્મદા,અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો: હાલમાં 1902 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં હતા,ત્યારે છેલ્લા કેટલાક ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 548 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 65 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 548 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 65 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.18.487 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી પોરબંદરમાં એક દર્દીનું દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.116 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.55 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.94.376 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8, 90.14.828 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 1902 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 લોકો વેન્ટિલેટર પર અને 1891 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18.487  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી પોરબંદરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે ,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.116 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 548 કેસમાં અમદાવાદમાં 278 કેસ,સુરતમાં 80 કેસ, વડોદરામાં 39 કેસ,રાજકોટમાં 27 કેસ, આણંદમાં 23 કેસ,ખેડામાં 21 કેસ,કચ્છમાં 13 કેસ, વલસાડમાં 9 કેસ, ગાંધીનગરમાં 8 કેસ,મોરબી અને નવસારીમાં 7 કેસ,ભાવનગર અને  ભરૂચમાં 6-6 કેસ, જામનગરમાં 5 કેસ,મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ, અરવલ્લી અને બનાસકાંઠામાં 2 કેસ, અમરેલી, નર્મદા,અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો છે

(7:48 pm IST)