Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં બીજી પત્ની લાવવા પહેલી પત્નીને શારીરિક માનસિક ત્રાસ ગુજારી કાઢી મુકનાર સાસરિયા વિરુધ્ધ ગુનો દાખલ

નડિયાદ : મહિસાગર જિલ્લાના બાલાસિનોરની દિકરી અને કપડવંજમાં પરણાવેલ સાસરીયાઓ માનસિક શારીરિક ત્રાસ આપી કાઢી મૂકી હતી.આ બનાવ અંગે પરણિતાએ પતિ,સાસુ અને નણંદ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં રહેતી દિકરીના લગ્ન ૧૭ વર્ષ અગાઉ કપડવંજના કટારીયામાં રહેતા સરફરાજખાન સાથે થયા હતા. લગ્ન બાદ પરણીતા સંયુકત કુંટુબમાં રહેતી હતી. છેલ્લા બે વર્ષથી પતિ ઘરના કામકાજ અંગે ગમે તેમ બોલી મારઝુડ કરતા હતા.વળી કહેલ કે તુ મને ગમતી નથી,અને મારે બીજી પત્ની લાવવાની છે,તેમ કહી મારઝુડ કરતા હતા.જ્યારે સાસુ અને નણંદ ખોટી ચઢામણી કરી કહેતા કે તુ અમારા ઘરમાં શોભતી નથી જેથી સરફરાજખાનને બીજી પત્ની લાવવાની છે.તેમ કહી મેણા ટોણા મારતા હતા. ગત તા.૧૫-૧૧-૨૦૨૧ ના રોજ પરણીતાને ઘરમાં થી કાઢી મૂકી હોવાનુ ફરિયાદમાં જણાવ્યુ હતુ. આ બનાવ અંગે પરણીતાએ પતિ સરફરાજખાન લીયાકતખાન પઠાણ, સાસુ-રસીદાબીબી લીયાકતખાન પઠાણ અને નણંદ-સહેનાઝબાનુ લીયાકતખાન પઠાણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદ લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:23 pm IST)