Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

નાના લીમટવાડા કરજણ નદીના પુલ પરથી મોત ની છલાંગ લગાવનાર યુવાનનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાના લીમટવાડા ગામ પાસેની કરજણ નદીનાના પુલ પરથો કૂદી પડેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર તા- 26 જૂન ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે નાના લીમટવાડા ગામ પાસેની કરજણ નદીના પુલ ઉપરથી કુદી ગયેલા જીતેંદ્ર ઉર્ફે જીતેશભાઈ બાલુભાઈ વસાવા( ઉ.વ .૨૪) ( રહે.વણઝર તા.નાંદોદ) પુલની ઊંચાઈ પરથી કૂદી પડતા ડાબો પગ ભાંગી જતા સારવાર માટે રાજપીપલા સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તા.27 જૂન ના રાતના તેનું મોત થતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:10 pm IST)