Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

જેતપુરની દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટીએ DSPને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ આજરોજ જેતપુર ગામની દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત દિકરી તથા તેના પરિવારની મુલાકાત લીધી અને તેના પરિવાર સમક્ષ દુઃખની લાગણી વ્યકત કરી. આવા શરમ જનક કૃત્યથી આદિવાસી સમાજ ની લાગણી દુભાઈ છે. બેટી બચાઓ બેટી પઢાઓની વાતો કરનારા ભાજપના નેતાઓ દ્વારા જ આવા દુષ્કૃત્યો કરવામાં આવી રહ્યા છે. જેથી પીડિત પરિવારને ન્યાય મળી રહે તે માટે નર્મદા જીલ્લા એસ. પી.કચેરીમાં જઈ નિષ્પક્ષ તપાસ થાય અને સખત કાર્યવાહી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 

(11:36 pm IST)