Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજ્યમાં કોરોનાની વિદાય નક્કી : નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 14 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક 10.081 : કુલ 8.15.154 લોકોએ કોરોનાને હરાવ્યો: રાજ્યમાં આજે વધુ 4.32.039 વ્યક્તિઓને રસીના ડોઝ અપાયા

અમદાવાદમાં 4 કેસ,વડોદરામાં 3 કેસ, જામનગર. મહીસાગર, અને સુરતમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 151 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 10 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 14 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 10 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 14 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.154 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત થયું નથી,રાજ્યમાં મૃત્યુઆંક 10081 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે

 રાજ્યમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 4.32.039 વ્યક્તિઓને રસીનાં ડોઝ અપાયાએ છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4.54.69.490 રસીના ડોઝ અપાયા છે

  રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 લોકો વેન્ટિલેટર પર અને 147 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.154 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 10 કેસમાં અમદાવાદમાં 4 કેસ,વડોદરામાં 3 કેસ, જામનગર. મહીસાગર, અને સુરતમાં 1-1 કેસ નોંધાયો  છે

(7:44 pm IST)