Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ વિદ્યાર્થીને વેક્સિન આપવા યોજના

આગામી ૨ સપ્ટેમ્બરથી અમદાવાદમાં ધોરણ-૬થી ૮ના વર્ગ શરૂ

અમદાવાદ : આગામી ૨ સપ્ટેમ્બરથી અમદાવાદમાં ધોરણ-૬થી ૮ના વર્ગ શરૂ થવાના છે. ધોરણ-૯થી ૧૨ના વર્ગ તો ધમધમતા થયા છે, તેમ છતાં વાલીઓમાં કોરોનાની સંભવિત થર્ડ વેવની દહેશત હોઈ હજુ વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ વધારો થયો નથી

મ્યુનિ. સત્તાવાળાઓએ જે તે વેક્સિનેશન સેન્ટર પર રાબેતા મુજબ સામાન્ય લોકો માટે વેક્સિનેશન તો ચાલુ જ રાખ્યું છે, પરંતુ શૈક્ષણિક કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓના જીવન સામે તોળાતા જોખમને દૂર કરવા ત્રણ દિવસથી શાળા-કોલેજોને આવરી લેનારું વિશેષ વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ સલામત રીતે શાળા-કોલેજમાં અભ્યાસ કરી શકે. આ મિશન હેઠળ મ્યુનિ. તંત્ર દ્વારા આગામી તા. ૩૦ સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણ સામે સુરક્ષિત રાખવાનો પ્લાન ઘડી કઢાયો છે.

(7:16 pm IST)