Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ભાજપ સરકારને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ પણ ખબર નથી : કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીના પ્રહારો

ગુજરાતી પાઠયપુસ્તકોમાં ર૮ ઓગસ્ટના બદલે ૧૭ ઓગસ્ટ છાપી નાખી

ગાંધીનગર, તા. ર૮: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી છે. તેમની જન્મ જયંતીની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલી ઉજવણી અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકારને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ પણ ખબર નથી.

તેમણે વધુમાં ભાજપ સરકારને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ પણ ખબર નહી હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં સરકારે ખોટી જન્મ તારીખ લખી છે. ૨૮ ઓગષ્ટના બદલે પાઠ્ય પુસ્તકમાં ૧૭ ઓગષ્ટ જન્મ તારીખ છપાઈ છે. એટલું જ નહિ પરંતુ ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમમાં મેઘાણીનો જ ફોટો નથી.

(4:01 pm IST)