Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરાશેઃ બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન માટે હેરિટેજ લુક અપાશે

અમદાવાદઃ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. જગ્યાઅેથી બુલેટ ટ્રેન-મેટ્રો ટ્રેન તેમજ બીઆરટીઅેસની કનેક્ટીવિટી મળવાની છે. જેથી વેસ્ટર્ન રેલવે દ્વારા વધુ સુવિધા આપવા માટે પ્લાન બનાવવામાં આવ્યો છે.

કાલુપુર રેલવે સ્ટેશનના અેન્ટ્રી પોઇન્ટ ઉપર દરવાજા જેવો ગેઇટ તૈયાર કરવામાં આવશે. રેલવે સ્ટેશનના મેઇન બિલ્ડીંગ ઉપર વિશાળ ડોમ બનાવવામાં આવશે. જે સરખેજ રોજા હશે. રેલવે સ્ટેશનમાં જ્યાં લોકોની મોટા પાયે અવરજવર છે તે સ્થળે દિલ્હી દરવાજાની કૃતિ પણ મુકવામાં આવશે.

અમદાવાદ ડિવીઝનના ડીઆરઅેમ દિનેશકુમારે જણાવ્યું હતું કે, કાલુપુર રેલવે સ્ટેશનનું મહત્વ સમજીને હેરિટેજ સીટી અમદાવાદની થીમ આધારિત લુક આપવામાં આવશે. માસ્ટર પ્લાન અનુસાર ડોર, બાઉન્ડ્રી હોલ, ફ્લોરીંગ પેટર્નને હેરિટેજ સીટીના થીમ આધારિત શણગાર કરાશે. અન્ય પ્લેટફોર્મ તેમજ ફુટ ઓવરબ્રીજને નવું રૂપ અપાશે. પ્રથમ માળે રહેલ ઓફિસો તેમજ કિચનને બહાર ખસેડાશે. જગ્યાનો ઉપયોગ રિટાયરીંગ રૂમ તરીકે ઉપયોગ કરાશે. જેનું સંચાલન આરઆઇસીટીસી દ્વારા કરવામાં આવશે. જ્યાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે તેવા પ્લેટફોર્મ નં. ૧૨ની સંપૂર્ણપણે કાયાપલટ કરી દેવામાં આવશે.

(5:24 pm IST)