Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પીએમ મોદી અને અમિતભાઇ શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી

અમદાવાદ :લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અમદાવાદ  એરપોર્ટ પહોચ્યા બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી

  નરેન્દ્રભાઈ  મોદી અને અમીતભાઈ  શાહ અમદાવાદમાં રવિવારે લગભગ 6 વાગે પહોચ્યા. જ્યા મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી,રાજ્યપાલ કોહલી ,ડે સીએમ નીતિનભાઈ પટેલ સહિતનાએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું પીએમ મોદી અને અમિતભાઇ શાહ એરપોર્ટથી સીધા ખાનપુર વિસ્તાર સ્થિત પાર્ટી કાર્યાલય પહોચ્યા, જ્યા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુહતું

(9:14 pm IST)