Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક રેલવે ફાટક પાસે કચરાના ઢગલામાં આગ :રેલવે વ્યહાર પર અસર

કોઈ ટીખળખોરે આગ લગાવી હોવાનું પ્રાથમિક તારણ

અંકલેશ્વર ખાતે અંસાર માર્કેટ નજીક રેલ્વે ફાટક પાસે કચરામાં એકાએક ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ એટલી ભયંકર હતી કે જેના કારણે રેલવ્યવહાર પર અસર પડી હતી 

   આ અંગેની વિગત મુજબ બપોરે અચાનક અંકલેશ્વરના અંશાર માર્કેટ પાસેના રેલવે ફાટક નજીક કચરાના ઢગલામાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામા મચી જવા પામવા સાથે થોડા સમય માટે રેલ વ્યવહાર પણ અટકયો હતો.હાલમાં તો કોઇક ટિખળખોર વ્યક્તી દ્વારા આ આગ લગાવી હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.

(9:03 pm IST)