Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ઉછીના પૈસા મામલે ઘાટલોડિયા વેપારીનું અપહરણ કરી ચાર શખ્સોએ ઢોર માર માર્યો

અમદાવાદ: ઘાટલોડીયામાં રહેતા ૩૪ વર્ષના વેપારીનું ચાર શખ્સોએ ઉછીના પૈસા મામલે કારમાં અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. ગેરેજમાં ગોંધી રખાયેલા વેપારીએ સંબંધીઓને ફોનથી જાણ કર્યા બાદ અહીં પોલીસ આવી પહોંચી હતી અને ચારેય આરોપીની ધરપકડ કરી હતી. નારણપુરા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ બનાવની વિગત મુજબ ઘાટલોડીયામાં ચાણક્યપુરીમાં રહેતા મુકેશ આર.પાઠક ચાંદખેડામાં ભાડાની દુકાનમાં ફેબ્રિકેશનનો ધંધો કરે છે. ૨૫ એપ્રિલના રોજ મુકેશભાઈ શાસ્ત્રીનગરમાં ખેતલા આપા ટી સ્ટોલ નજીક ઉભા હતા ત્યારે તેમનો જુનો કારીગર મનીષ ઉર્ફે પદીપ પરમાર ફોન કરીને તેમને મળવા આવ્યો હતો. પરમારે મુકેશભાઈને કહ્યું હતું કે તમે અમારા માટેલ ગુ્રપ ફાયનાન્સમાંથી લીધેલા રૃ.૪૫,૦૦૦ આપવાના છે કે નહી. મુકેશભાઈએ થોડા થોડા કરીને પૈસા આપી દેશે એમ કહ્યું હતું. આથી પરમારે ફોન કરતા ત્રણ શખ્સો સ્કોર્પિયો જીપમાં આવી પહોંચ્યા હતા. જેમાથીં પાર્થ જી.ત્રિવેદી, ભાવેશ સી.દેસાઈ અને અલ્પેશ પી.બોડાણા નીચે ઉતર્યા હતા. બાદમાં ચારેય જણાએ અમારી કંપની પાસેથી લીધેલા પૈસા કેમ આપતો નથી કહીને મુકેશભાઈને લાતો અને ફેટોથી માર મારીને જબરજસ્તીથી સ્કોર્પિયોમાં બેસાડી દીધો હતો.

(4:53 pm IST)