Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ધારાસભ્‍યો સાથે શિષ્‍ટાચાર જાળવવા સૂચનાઃ પ્રોટોકોલ ભંગની ૧૩ ફરીયાદો

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭: ધારાસભ્‍યશ્રીઓનો પ્રોટોકલ જળવાય તે માટેની સ્‍થાયી સૂચનાઓનો અમલ કરવા બાબતે લુણાવાડાના સભ્‍ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્‍નના ઉત્તરમાં પ્રોટોકલ મંત્રી જગદીશ વિશ્‍વકર્માઅુે જણાવ્‍યું હતું કે, તા. ર૦-ર-ર૦ર૩ની સ્‍થિતિએ સ્‍થાયી સુચનાઓ અમલમાં છે.સરકાર દ્વારા પ્રોટોકલ જળવાય તે માટે કાળજી રાખવામાં આવે છે. ધારાસભ્‍યોનો પ્રોટોકલ જળવાય તે માટેનું મોનીટરીંગ સબંધિત કચેરી દ્વારા કરવામાં આવે છે.છેલ્લા બે વર્ષમાં પ્રોટોકોલ ન જળવાયો હોવાની સભ્‍યો દ્વારા તેર (૧૩) ફરિયાદો ધ્‍યાને આવી છે આ ફરિયાદોના આધારે સંબંધિત સંચાલન અધિકારીને ધ્‍યાન રાખવા સૂચના આપવામાં આવી છે.

(4:37 pm IST)