Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

એસ. ટી. નિગમ પાસેથી સરકારના ૩૭૭૦ કરોડ લેણા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭ :.. રાજય સરકારે એસ. ટી. નિગમ પાસેથી લેવાની થતી રકમ અંગે કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીયાના પ્રશ્નના ઉતરમાં વાહન વ્‍યવહાર મંત્રી જણાવ્‍યું હતું કે તા. ૩૧-૧ર-રરની સ્‍થિતિએ એસ. ટી. નિગમ પાસેથી રૂા. ૩૭૭૦.૯૭ કરોડની રકમ લેવાની નીકળે છે.

આ બાકી નીકળતી લેવાની રકમમાં ચૂકવવાની બાકી લોનની રકમ રૂા. ૩પરપ.૧૬  કરોડ ચૂકવવાના બાકી પેસેન્‍જર ટેક્ષની રકમ રૂા. ર૦૬.રપ અને ચૂકવવાના બાકી મોટર વ્‍હીકલ ટેક્ષની રકમ રૂા. ૩૯.પ૬ મળી કુલ રૂા. ૩૭૭૦.૯૭ કરોડની થાય છે.

(11:43 am IST)