Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

ઉનાવાના પેપરકાંડમાં નવો ખુલાસો :શાળાના પિયૂન ઘનશ્યામ ભેમજીભાઈએ લેટરપેડ સળગાવી નાખ્યું

કોના કહેવાથી લેટરપેડ સળગાવી દીધું ? શિક્ષક સાથે પિયૂનની પણ પૂછપરછ માટે અટકાયત

મહેસાણાના ઉનાવાના પરીક્ષા કેન્દ્રમાં એક ઉમેદવાર પરીક્ષાના સવાલોના જવાબો સાથેની એક કાપલી સાથે ઝડપાતા ભારે વિવાદ થઇ ગયો હતો.સાથી ઉમેદવારે આ વિદ્યાર્થીને પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપી પાડ્યો હતો

 વનરક્ષક પરીક્ષાના પેપર ફૂટ્યું એ એક લેટરપેડમાં લખાયેલું મળી આવ્યું હતું પણ મળતી માહિતી અનુસાર ઉનાવાના પેપરકાંડમાં નવો ખુલાસો થયો છે કે જે લેટર પેડમાં જવાબો મળ્યાએ સળગાવી દેવામાં આવ્યું છે. શાળાના જ પિયૂને લેટરપેડને સળગાવી દીધું છે. હાલમાં પોલીસે સળગાવ્યાના સ્થળની રાખ લીધી છે. પિયૂન ઘનશ્યામ ભેમજીભાઈ કોના કહેવાથી લેટરપેડ સળગાવી દીધું અને કેમ સળગાવ્યું તેની તપાસ માટે શિક્ષક સાથે પિયૂનની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. 

(7:46 pm IST)