Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

રાજ્યમાં કોરોના વિદાયના માર્ગે :નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 26 દર્દીઓ સાજા થયા: એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :કુલ મૃત્યુઆંક 10.942 થયો:કુલ 12.12.670 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 17.310 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 4 કેસ, આણંદ ,દાહોદ, ખેડા,સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો: હાલમાં 259 એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો હતો જોકે છેલ્લા કેટલાક દિવસોથી રાહત મળી રહી છે,આજે નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 26 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામ લક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 26 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 12.12.670 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.942 થયો છે, રાજ્યમાં રિકવરી રેટ 99.08 ટકા થયો છે
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 17.310 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 10.58.47.409 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 259 એક્ટિવ કેસ છે,જેમાંથી 3 લોકો વેન્ટિલેટર પર અને 256 લોકો સ્ટેબલ છે.અત્યાર સુધીમાં કુલ 12.12.670 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.942 થયો છે,

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 9 કેસમાં અમદાવાદમાં 4 કેસ, આણંદ ,દાહોદ, ખેડા,સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે

(7:36 pm IST)